રાજકોટ શહેર વોર્ડનં.૧૫ નવા થોરાળા વિસ્તારમાં સેનેટાઈઝર મશીન વડે સેનેટાઈઝર કરવામાં આવેલ છે

રાજકોટ,

રાજકોટ શહેર તા.૨૭.૪.૨૦૨૦ ના રોજ વોર્ડનં.૧૫ માં નવા થોરાળા વિસ્તારમાં સેનેટાઈઝર મશીન દ્વારા સેનેટાઈઝર કરાવતા રાજકોટ શહેર મહાનગરપાલિકાના વોર્ડનં.૧૫ કોંગ્રેસ ના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા તેમજ આગેવાનો પ્રવિણભાઈ મુછડીયા, અરવિંદ મુછડીયા, નરેશભાઈ પરમાર, લાલાભાઈ RTO તેમજ કોંગ્રેસ ના આગેવાનો તેમજ લતાવાસીઓ નો ખુબ સરસ સાથ સહયોગ મળ્યો હતો. હાલ લોકડાઉન ના પગલે કર્ફ્યુનો માહોલ સર્જાયો હોય.

તેના અનુસંધાને કોગ્રેસ ના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા દ્વારા જરૂરિયાતમંદ લોકોને જમવા માટે ટિફિન ની પણ સેવા આપે છે. હાલ નવા થોરાળા વિસ્તારમાં વશરામભાઈ સાગઠીયા તેમજ કોંગ્રેસના આગેવાનો લોકોને ખુબ મદદરૂપ થઈ રહ્યા છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment